વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના 2023 :(Vikram Sarabhai Incentive Scheme 2022-23)ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે.

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના 2023
Vikram Sarabhai Incentive Scheme 2022-23 અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરેલ છે.
આ પણ વાંચો :- તમારા મોબાઈલ ની ઈન્ટરનેટ સ્પીડ કેટલી આવે છે?
વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
આ પણ વાંચો :- મધ્ય રેલવે ભરતી 2022, 10 પાસ
શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ
- વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
- દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
કોણ અરજી કરી શકશે?
અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
આ પણ વાંચો :- GPSC ચીફ ઓફિસર પ્રશ્નપત્ર અને આન્સર કી 2022
શિષ્યવૃતિ ની મળવા પાત્ર રકમ
- ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે: બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/- હશે.
- ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-(માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. [ ધોરણ 9 માં 20,000/-, ધોરણ 10 માં 20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં T30,000/- અને ધોરણ 12 માં *30,000/-
અરજી કરવાની પ્રક્રિયા
અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે. નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
આ પણ વાંચો :-મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના
જરુરી આધાર પૂરાવા
- વિદ્યાર્થીનો ફોટો
- આવકનો પુરાવો: આવક પ્રમાણપત્ર (તહસીલદાર/ મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/ તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/ કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
- શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.
મહત્વની તારીખો
રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ: | 13 January 2023 |
ચયન પરીક્ષા: | 22 January 2023 |
મહત્વ પુર્ણ લિંક
ઑફિસિયલ સાઈટ | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ માં વારંવાર પૂછાતા પ્રશ્નો
વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ યોજના ની છેલ્લી તારીખ 13 January 2023 છે.
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 8 બાળકો ને કેટલી રકમ મળે છે?
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-(માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 10 બાળકો ને કેટલી રકમ મળે છે?
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે: બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/- હશે