મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના || Mukhya Mantri Gyan Sadhana Scholarship 2023

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના ||Mukhya Gyan Sadhana Scholarship 2023 પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાના અંતે પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ ધોરણ ૫ પૂર્ણ કરેલા ૩૦,૦૦૦ તેજસ્વી વિધાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેઓને ધોરણ ૬થી ૧૨ સુધીનાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મૂકવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

યોજનાનું નામમુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ ૬ થી ૧૨માં અભ્યાસ માટે
સહાયની રકમધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૩૨૦,૦૦૦
ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૩ા.૨૨,૦૦૦
ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 31.રપ,૦૦૦
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ

વિધાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો

જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરો

ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે

  • ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20,000
  • ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000
  • ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25,000

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઇપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવીને ધોરણ ૬થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને ની:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  1. ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૫,૦૦૦
  2. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૬,૦૦૦
  3. ધોરણ ૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ૭,૦૦૦
ધીરેન્દ્ર શાસ્ત્રી જીવન પરિચય: બાગેશ્વર ધામ શું છે, વિગતવાર માહિતી

કોઇ પણ શાળામાં ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અનુદાનિત શાળા તરીકે ચાલતા હોય અને ધોરણ ૬ થી ૮ સ્વ-નિર્ભર શાળા તરીકે ચાલતી હોય, અથવા ધોરણ ૬ થી ૮ અનુદાનિત તરીકે અને ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અથવા ધોરણ ૧૧ થી ૧૨ સ્વ-નિર્ભર તરીકે ચાલતી હોય, આવા તમામ કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય તો આવી શાળાઓમાં જે વિધાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓને જેટલા ધોરણ સ્વ-નિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ જે તે ધોરણ મુજબ મળવાપાત્ર સ્કોલરશીપની રકમ જે તે વર્ષ માટે મળવાપાત્ર રહેશે.

અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય

  • ધોરણ ૬થી ૮માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક , ૨,૦૦૦
  • ધોરણ ૯થી ૧૦માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક 3,000
  • ધોરણ ૧૧થી ૧૨માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક ૪,૦૦૦
વિડિઓ જોવા માટેઅહીં ક્લિક કરો

વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો

ઉપર 5A અને 5B મુજબ વિધાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમમાં અને 6A મુજબ અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરવા દર ત્રણ શૈક્ષણિક વર્ષ બાદ રાજ્ય સરકાર વિચારણા કરશે

લાભાર્થીઓ નક્કી કરવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

  • કોમન એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.
  • તે માટેનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું તેમજ આનુષંગિક નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે. ૮.
  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનો સળંગ અભ્યાસ કરી, ધોરણ ૫માં અભ્યાસ કરતા હોય અથવા ધોરણ પમાં ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિધાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત થનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે.
  • D. આ પરીક્ષા માટે વિધાર્થીઓની કી અંગેનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

કોમન એસ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લીસ્ટ

  1. કોમન એન્ટ્સ ટેસ્ટ પરીક્ષામાં કટઓક કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બૉર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓને સુપ્રત કરવાની રહેશે,
  2. B. ઉપર મુજબની યાદી પૈકીના વિધાર્થીઓના દસ્તાવેજી ખરાઇ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુઘનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,

  • રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
  • શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
  • E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા

આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી

  • ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની
  • રહેશે. ૮. તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
  • D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

ધોરણ ૭ના પ્રથમ સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશીપની બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *